માતૃભાષા
આજે માતૃભાષા દિવસે ખાસ #jaykumarvarmanikalme
#jaykumarvarmasnotes
સંસ્કૃત એ દેવ ભાષા જેના થી મુક્તિ અને મોક્ષ નો મારગ મળે,
અને એક છે માતૃભાષા જે માં જીવન નો મારગ મળે.
બોલ્યા વગર પણ સમજાય જાય એવી માતૃભાષા.
માતૃભાષા શા માટે????
બાળક જયારે નાનું હોય ને બોલી પણ ન શકતું હોય, ત્યારે પણ એની માં એના હાવભાવ અને વર્તન થી એના મન માં શું ચાલે એ ભાખી લે છે...પછી બાળક માતા ને જોડે રહીને બોલવાનું શીખે છે..
પ્રેમ થી બોલો તો મધ જેવી,
જુસ્સા થી બોલો તો સોર્ય રસ,
ધીમે થી બોલો તો કરે મન માં અંત્રલીન,
ગુસ્સા માં બોલો તો જાણે ગ્રીષ્મ ઋતુ નો ધગ ધગતો તપ,
કોઈ ના વખાણ કરો તો જાણે મીઠડું મધ.
બોલો ને મન શાંત થાય એવી સોમ્ય અને નિર્મળ મારી ગુજરાતી માતૃભાષા..
લેખન માં ત્રુટિ માટે માફી,ગર્વ થી કહો હું ગુજરાતી.
Comments
Post a Comment